અપીલનો નિણૅય થતાં સુધી સજા મોકૂફ રાખવા બાબત અપીલ કરનારને જામીન ઉપર છોડવા બાબત - કલમ : 430

અપીલનો નિણૅય થતાં સુધી સજા મોકૂફ રાખવા બાબત અપીલ કરનારને જામીન ઉપર છોડવા બાબત

(૧) દોષિત ઠરેલ વ્યકિતએ કરેલી અપીલનો નિણૅય થતાં સુધી જેની સામે અપીલ કરવામાં આવી હોય તે સજા કે હુકમ પોતે કારણોની લેખિત નોંધ કરીને મોકૂફ રાખવાનો તેમજ વ્યકિત અટકાયતમાં હોય તો તેને જામીન ઉપર કે તેના પોતાના જાત મુચરકા અથવા જામીનખત ઉપર છોડવાનો અપીલ ન્યાયાલય હુકમ કરી શકશે.

પરંતુ અપીલ ન્યાયાલયે મોત અથવા આજીવન કેદ અથવા દસ વષૅથી ઓછી ન હોય તેવી કેદની શિક્ષાને પાત્ર કોઇ ગુના માટે દોષિત ઠરેલ વ્યકિતને તેના પોતાના જાત મુચરકા અથવા જામીનખત ઉપર છોડતા પહેલા આવા છૂટકારાની વિરૂધ્ધમાં પબ્લિક પ્રોસિકયુટરને લેખિતમાં કારણો દર્શાવવાની તક આપવી જોઇશે.

વધુમાં જયારે કોઇ દોષિત ઠરેલ વ્યકિતને જામીન ઉપર છોડવામાં આવે ત્યારે પબ્લિક પ્રોસિકયુટરને જામીન રદ કરાવવા માટે અરજી દાખલ કરવાની છૂટ રહેશે.

(૨) ઉચ્ચન્યાયાલયની સતા નીચેના ન્યાયાલયને કોઇ દોષિત વ્યકિતએ કરેલી અપીલ બાબતમાં આ કલમથી અપીલ ન્યાયાલયને અપાયેલ સતા ન્યાયાલય પણ વાપરી શકશે.

(૩) દોષિત ઠરેલ વ્યકિત જે ન્યાયાલયે તેને દોષિત ઠરાવેલ હોય તે ન્યાયાલયને એવી ખાતરી આપે કે પોતે અપીલ રજૂ કરવા માગે છે તો

(૧) તે વ્યકિત જામીન ઉપર હોય અને તેને ત્રણ વષૅ કરતા વધુ ન હોય તેટલી કેદની સજા કરવામાં આવી હોય ત્યારે અથવા

(૨) જે ગુના માટે તે વ્યકિતને દોષિત ઠરાવવામાં આવેલ હોય તે ગુનો જામીની હોય અને તેને જામીન ઉપર છોડવામાં આવેલ હોય ત્યારે ન્યાયાલયે જામીન ઉપર છોડવાની ના પાડવા માટે ખાસ કારણો હોય તે સિવાય તેને અપીલ રજુ કરવા માટે અને પેટા કલમ (૧) હેઠળ અપીલ ન્યાયાલયને હુકમ મેળવવા માટે પૂરતો સમય મળી રહે તેટલી તે મુદત સુધી દોષિત ઠરેલ વ્યકિતને જામીન ઉપર છોડવાનો હુકમ કરવો જોઇશે અને એ રીતે જયાં સુધી તે જામીન ઉપર છૂટેલ હોય ત્યાં સુધી કેદની સજા મોકૂફ રખાયેલ હોવાનું ગણાશે.

(૪) અપીલ કરનારને છેવટે કોઇ મુદત સુધીની કેદની કે આજીવન કેદની સજા થાય તો તેને એ પ્રમાણે થયેલી સજાની મુદત ગણતી વખતે જેટલો સમય તે જામીન ઉપર છૂટેલ હોય તે સમય બાદ કરવો જોઇશે.